Sunday, July 1, 2012


આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે...
                                   જાગવાનું મન ઘણુંયે થાય છે,
                                  આંખ ખોલું છું તો સપનાં જાય છે....
                                   આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
                                   આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?
                                   આપ શું સમજો હૃદયની વાતમાં,
                                   આપને ક્યાં દર્દ જેવું થાય છે?
                                   લાખ કાંટાઓ મથે સંતાડવા
                                   તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?
                                   દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
                                   ભાગ્યમાં જે હોય છે તે થાય છે....

                                                                   - ‘આદિલ’ મન્સૂરી
           યાદ કરીને તમને હું મનમા બહુ મુંઝાઉ છુ...
          આવો છો નઝર સામે ત્યારે જોઇને પસ્તાઉ છુ...
         જ્યારે જ્યારે શેરીએ થી તમારી પસાર થાઉ છુ....
         યાદ કરી એ દીવસો ને ગીત વીરહ ના ગાઉ છુ....
                                                                 કવીઃ  S.P


                કે જેના હોઠ પર કાયમ ફાગણ છે,
                      ઝુલ્ફો થી ઝરે છે શ્રાવણ ....
   સદા સુહાગણ એવી તુ લાગે છે ગરવી ગુજરાતણ.....
                                                             કવીઃ અજ્ઞાત

              
                ફક્ત એક ટકો કાફી છે મહોબ્બત મા...
               બાકીના નવ્વાણુ ખર્ચી નાખં હીમ્મત મા...
                                                              કવીઃ અજ્ઞાત
         આંસુઓ ના પડે પ્રતીબીંબ એવા હવે ર્દપણ ક્યાં છે?
     ને કહ્યા વીના સમજી જાય એવા હવે સગપણ ક્યાં છે?
                                                             કવીઃ અજ્ઞાત
     જ્યારથી તને જોઇ છે,તારીજ રટ લાગી છે... 
  આ જુવાની ની ભરતી તારા દર્શન થીજ જાગી છે.....
                                                            કવીઃ- અજ્ઞાત

Tuesday, December 20, 2011



           ઇન્તેજારી આ અમારી હદ વટાવી ગઇ....
           ને યાર તારી લાગણી સરહદ વટાવી ગઇ.....

                                                      કવિ : સાઇરામ દવે

Saturday, November 5, 2011

            કાજળ ભરેલ આંખલડી,જો જો છલકાય ના
            વષાઁ ભરેલ વાદલડી,જો જો વષીઁ  જાય ના
            ખુશ રહીને છો ના કરતા, યાદ તમે અમોને 
                         પરંતુ યાદ કરી અમોને 
                      જો જો આંખલડી ભિંજાય ના...... 
                                                                  કવિ -  SP
જોઇ એની આંખલડી ને જોઇ એનુ કાજળ,
ચિત્ત ચડ્યુ છે ચક્ડોળે ને મન થયુ છે પાગલ,
કહે છે લોકો કે નેન કટારી છે એની બહુ તિક્ષ્ળ,
અરે નેનો નો કોઇ વાંક નથી,
ઘાયલ કરે છે કાજળ...
                                                    કવિ -  SP